૨૪ કલાકમાં કોરોનાના વધુ ૬૭૦૦૦ કેસ, ૯૪૨નાં મોત
ભારતમાં કોરોનાના કુલકેસ વધીને ૨૪ લાખ ઉપર : ભારતમાં કોરોનાનો રિકવરી રેટ સુધરીને ૭૦.૩૮ ટકા, ૨૪ કલાકમાં ૫૬૩૮૩ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ્ય થયા
નવી દિલ્હી, તા. ૧૩ : ભારતમાંકોરોના વાયરસનો આતંક પૂર થમવાનું નામ લેતો નથી. દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૨૪ લાખની નજીક પહોંચીગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૬૯૯૯ કેસ નોંધાતા કુલ કેસ ૨૩૯૬૬૩૭ થઈ ગયા છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરીને ૭૦.૩૮ ટકા થઈ ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૩૮૩ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથેજ આ આંકડો વધીને ૧૬૯૫૯૮૨ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈછે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૨ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૪૭૦૩૩ સુધીપહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૬૫૩૬૨૨ એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૫૪૮૩૧૩ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૮૬૫૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદતમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૪૫૨૦ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૫૨૭૮ લોકો કાળનો કોળિયો બની ગયા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્રપ્રદેશમાં ૨૫૪૧૪૬ કેસ નોંધાયા છે જ્યારે ૨૨૯૬ લોકો મોતને ભેટ્યા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૧૯૬૪૯૪ કેસ નોંધાયા છે જ્યારે ૩૫૧૦ લોકોના મોત થયા છે. ત્યારબાદ પાંચમાં સ્થાન પર દિલ્હીમાં ૧૪૮૫૦૪ કેસ નોંધાયા છે જ્યારે ૪૧૫૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.ત્યારબાદ ઉત્તર પ્રદેશ ૧૩૬૨૩૮ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૧૦૪૩૨૬ કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. જ્યારે બિહાર આ યાદીમાં આઠમાં ક્રમ પર છે જ્યાં ૯૦૩૨૧ લોકો સંક્રમણમાં આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં૨૦૬૨૦૭૦૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૭૪૯૩૫૮ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૨૮૨૬૯૦૧ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૧૨૮૨૬૯૦૧ કેસ એક્ટિવ છે.