મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

કશ્મીરના લોકો ખુશ છે તો કલમ 144 કેમ લગાડાઇ ? ભાજપને સતાની ઘેલછા: ઓવૈસીએ લગાવ્યો આરોપ

સરકારને કાશ્મીરીઓ સાથે નહીં, કાશ્મીરની જમીન સાથે પ્રેમ છે

કાશ્મીરની સ્થિતિને લઈને અસદુદ્દીન ઓવૈસીએ ઈદ નિમિત્તે પોતાના કાર્યકર્તાઓએ સંબોધતા સમયે કાશ્મીર મામલે સરકારને સવાલ કર્યા કે કાશ્મીરના લોકોને ઘરમાં કેદ કેમ કરવામાં આવ્યા? કશ્મીરના લોકો ખુશ છે તો કલમ 144 કેમ લગાવાઈ? આ સાથે જ ઓવૈસીએ ભાજપને સત્તાની ઘેલછા હોવાનો આરોપ લગાવ્યો હતો

   પાર્ટીના મુખ્યાલયમાં ઇદ મિલાપ રેલીને સંબોધન કરતા ઔવેસીએ કહ્યું કે, મને ખબર છે કે, સરકારને કાશ્મીરીઓ સાથે પ્રેમ નથી. કાશ્મીરની જમીન સાથે પ્રેમ છે. તેઓને સત્તાથી પ્યાર છે, નહીં કે ન્યાયથી. તેઓ માત્ર સત્તામાં રહેવા માગે છે. પરંતુ હું તેમને યાદ અપાવું કે, કોઇપણ વ્યક્તિ અનંતકાળ સુધી નથી રહેતી અને નથી શાસન ચલાવી શકતી. 

(11:33 am IST)