શશી થરૂર વિરુદ્ધ કોલકતા મેટ્રોપોલિટન કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું
હિન્દૂ-પાકિસ્તાનના નિવેદન પર વકીલ સુમિત ચૌધરીએ અરજી દાખલ કરી
કોલક્તા મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના નેતા શશિ થરૂરની વિરૂદ્ધ ધરપકટ વોરંટ ઇસ્યુ કર્યું છે. થરૂરના હિન્દૂ-પાકિસ્તાનના નિવેદન પર વકીલ સુમિત ચૌધરીએ અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે થરૂર માટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતુ.
આ પહેલા તેમની વિરૂદ્ધ કોલકત્તા હાઇકોર્ટે પણ સમન જાહેર કર્યુ હતુ. શશિ થરૂરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે જો ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં જીતશે તો તેનાથી દેશ હિન્દૂ પાકિસ્તાન બની જશે. શશિ થરૂરના આ નિવેદન બાદ રાજકીય હોબાળો થયો હતો.
તિરુઅનંતપુરમમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કહ્યુ હતુકે, જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો નવું સંવિધાન લખશે. જેનાંથી દેશ પાકિસ્તાન બનવાની રાહ પર આગળ વધશે. અલ્પસંખ્યકોનાં અધિકારોનો કોઈ સન્માન કરશે નહી