મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

વિદેશી મેગેઝીનનો દાવો : ભારતમાં કોરોનાથી મોતનો આંકડો ૫ થી ૭ ગણો વધુ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેરની અસર કેટલીક હદ સુધી ઓછી થઇ છે. જો કે સંકટ હજુ ટળ્યું નથી. આ મહામારી દરમિયાન સ્વાસ્થ્ય વ્યવસ્થા પર અનેક પ્રકારના સવાલ ઉભા કર્યા છે. સાથે જ હવે એક મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે કે કોરોનાના મોતના આંકડા. વિપક્ષ દ્વારા સતત કેન્દ્ર સરકાર પર આંકડા છૂપાવવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. બીજી બાજુ વિદેશી મેગેઝીને પણ તે અંગે દાવો કર્યો છે. ભારતમાં છેલ્લા બે મહિનામાં અંદાજે દરરોજ બે હજાર લોકોના મોત થયા છે પરંતુ અનેક લોકો દાવો કરી રહ્યા છે કે મૃત્યુઆંક તેનાથી અનેક ગણુ વધુ છે

(5:00 pm IST)