News of Thursday, 14th June 2018
મહાનાયક અમિતાભ બચ્ચન શહીદોની પત્ની અને ખેડૂતો માટે બે કરોડનું આપશે દાન
મુંબઈ :અભિનેતા અક્ષય કુમારે દેશની રક્ષા કરતાં કરતાં પોતાનો જાન ગુમાવેલા જવાનોના પરિવારોને મદદ કરવા માટે એક એક એપ બનાવી હતી,હવે મહાનાયક અમિતાભ બચ્ચન . દેશની રક્ષા કરતાં કરતાં શહીદ થયેલા જવાનોની પત્નીઓને અને ખેડૂતો માટે પોતે રૂ.બે કરોડનું દાન કરવાના છે એવા અહેવાલને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને સમર્થન આપ્યું છે.
અમિતાભે ટ્વિટર પર આની જાણકારી આપી દીધી છે, એની સાથે સાથે તેમણે કેટલાક લેખ પણ શેર કર્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘યસ આઇ કેન એન્ડ આઇ વિલ…’
(12:11 am IST)