મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

જમ્મુ કાશ્મીરના અપહૃત સેનાના જવાન ઔરંગઝેબની હત્યા:પુલાવમાંમાંથી મૃતદેહ મળ્યો

પૂંછ જિલ્લામાં ફરજ બજાવતા રાયફલમેન ઓરંગઝેબ ઈદની રજામાં ઘેર જતા હતા ત્યારે શોપિયાંમાંથી અપહરણ કરાયું હતું

 

જમ્મૂ કશ્મીરમાં અપહરણ કરાયેલા રાષ્ટ્રિય રાયફલના જવાન ઓરંગઝેબની હત્યા કરાઈ છે પુલવામામાંથી જવાનનો મૃતદેહ મળ્યો છે જવાનનું  શોપિયામાંથી ઓરંગઝંબનું અપહરણ કરવામાં આવ્યું હતું.  આતંકીઓએ અપહરણ કરીને તેની હત્યા કરી નાખી છે.   

 

  પુંછ જિલ્લામાં ફરજ બજાવતા રાયફલમેન ઔરંગઝેબનું અપહરણ કરવામાં આવ્યું હતું. રાયફલમેન ઔરંગંઝેબ ઈદની રજાઓ લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અપહરણ કરવામાં આવ્યું હતું
  
અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન હાથ ધર્યું હતું તેમાં રાયફલમેન ઔરંગઝેબ મેજર શુક્લા સાથે હતા. ઔરંગઝેબની પોશસ્ટગ 44RR શાદીમાર્ગમાં હતુ અને તેઓ પુંછના રહેવાસી છે
  
જ્યારે તેઓ પ્રાઈવેટ વાહનમાં શોપિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે આતંકીઓએ કલમપોરા પાસે તેમના વાહનને રોક્યું હતુ અને અપહરણ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કશ્મીરનાં પુલવામામાં ગયા એપ્રિલ મહિનામાં સુરક્ષાબળો અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓ ઠાર થયા હતા. જેમાં હિઝબુલ મુઝાહીદ્દીનનો ટોપ કમાંડર સમીર ટાઈગરનો પણ સમાવેશ હતો

(10:59 pm IST)