શ્રીનગરમાં આતંકવાદીઓનું ધૃણીત કૃત્ય: રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાતની ગોળી મારીને હત્યા
બુખારીના પીએસઓનું પણ મોત :મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી,પૂર્વ મુખયમંત્રી ફારુખ અબ્દુલા અને ગૃહમંત્રી રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કર્યું
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગુરૂવારે સાંજે આતંકવાદીઓએ રાઇજિંગ કાશ્મીર સમાચાર પત્રના સંપાદક શુજાત બુખારીને ગોળી મારીને હત્યા કરી છે આ હૂમલામાં બુખારીના પીએસઓનું પણ મોત થયુ છે. પત્રકારનાં મોત અંગે જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને પુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો છે. મહેબુબા મુફ્તીએ ટ્વીટર પર લખ્યું કે, શુજાત બુખારીના આકસ્મીક મોતથી પરેશાન અને દુખી છું. આ ઇદ પહેલા આતંકવાદીઓનું ધૃણીત કૃત્ય છે.
પુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુખ વ્યક્ત કર્યો છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટર પર લખ્યું કે, આ ઘટનાથી હું સંપુર્ણ રીતે શોક્ડ છું. દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આ આતંકવાદીઓની કાયરતાપુર્ણ હરકત છે. તેઓ એક સાહસી અને નિડર પત્રકાર હતા. આ હૂમલો એવા અવાજોને ચુપ કરાવવાનો પ્રયાસ છે.