મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

LG સાથે વિવાદ મામલે કેજરીવાલે માંગી મોદીની મદદ !

કેજરીવાલે ધરણાના ચોથા દિવસે લખ્યો પત્ર

નવી દિલ્હી તા. ૧૪ : પાટનગર દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના ત્રણ કેબિનેટ મંત્રી રાજયપાલ વિરુદ્ઘ તેમના ઘરે ધરણાં કરી રહ્યા છે. જયારે વિપક્ષી પાર્ટી ભાજપ સીએમ વિરુદ્ઘ તેમના ઘરે ધરણાં કરી રહી છે. આજે કેજરીવાલના ધરણાંનો ચોથો દિવસ છે. જયારે તેમને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.જેમાં તેમને કહ્યું કે, ઉપરાજયપાલ અમારી વાત સંભળી રહ્યા નથી. હું તમને અપીલ કરૃં છું કે તમે આ મામલે નોંધ લેશો. અને છેલ્લા ત્રણ મહિનાથી IAS ઓફિસરોની જે હડતાળ ચાલી રહી છે તેને પૂર્ણ કરવો. તેમજ દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું કે, આ અધિકારીઓની ટ્રાન્સફર કરવાનું અને તેમના પર પગલાં ભરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અને LGને હાથ છે. તેથી અમે કંઇ પણ કરી શકતા નથી. હવે તો લોકોએ પણ એવું કહેવાનું શરૂ કરી દીધું છેકે આ હડતાળ કેન્દ્ર સરકાર અને LG મળીને કરાવી રહ્યું છે.

આમરણ ઉપવાસ પર બેઠેલા મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો ગુરુવારે સવારે રુટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપમાં ખબર પડી હતી કે સત્યેન્દ્ર જૈનની તબિયત ઠીક નથી.

કેજરીવાલના ઘરમાં વિરૂદ્ઘ બીજેપી નેતાઓ બુધવારે મુખ્યમંત્રીના ઘરની સામે ધરણાં પર બેઠા હતા. દિલ્હી બીજેપી નેતા મનજિંદર સિરસાએ ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, કેજરીવાલે નાટક બંધ કરવા જોઈએ અને કામ પર પરત ફરી જવું જોઈએ. આ ધરણામાં ખ્ખ્ભ્દ્ગક્ન બળવાખોર નેતા કપિલ મિશ્રા પણ સામેલ થયા હતા.

AAPની ૩ માંગ LG પોતે IAS અધિકારીઓની ગેરકાયદેસરની હડતાળ તાત્કાલિક ખતમ કરાવે કેમકે તેઓ સર્વિસ વિભાગના વડા છે કામ રોકનારા IAS અધિકારીઓ વિરૂદ્ઘ કડક પગલાં ભરવામાં આવે. રેશનની ડોર સ્ટેપ ડિલિવરી યોજનાને મંજૂર કરે.

(4:08 pm IST)