મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

હું ભાગ્યો નથી ભાગીશ પણ નહીં :પીડિતા મારી દીકરી સમાન, તપાસમાં પુરો સહિયોગ આપીશઃ દાતિ મહારાજ

શનિધામ મંદિરના સંસ્થાપક દાતિ મહારાજે પોતાના પર લાગેલા બળાત્કારના આરોપ પર જણાવ્યુ કે, પીડિતા મારી દિકરી સમાન છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, હુ ન તો ભાગ્યો છુ અને ભાગીશ પણ નહિ, તેમજ પોલીસને તપાસમાં પૂરો સહિયોગ આપવાનો દાવો પણ કર્યો હતો. તેણે કહ્યુ કે હું સોમવાર સુધીમાં આશ્રમની તમામ છોકરીઓને લઈ પોલીસ પાસે જઈશ.

(1:17 pm IST)