મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

ફેસબુકમાં વડાપ્રધાન અંગે અત્યંત નિમ્ન કક્ષાનું લખાણ લખનાર સુરત પંથકના બિલ્ડરની ધરપકડ

ફેસબુકમાં પોતાની વોલ ઉપર વડાપ્રધાન અને પ.બંગાળના મુખ્યમંત્રીનો ફોટો મૂકી અત્યંત  આપત્તિજનક પોસ્ટ વાયરલ કરનાર સુરત-પુણાના બિલ્ડર અને આમ આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોરોનાની બીજી લહેર દરમિયાન કેટલાક લોકો સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકાર વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ મૂકી લોકોને ગેરમાર્ગે દોરી સુલેહ શાંતિનો ભંગ કરતા હોય તેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા  સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ જે.બી.આહીર સોશ્યલ મીડિયાનું મોનીટરીંગ કરતા હતા ત્યારે સંજયતોરી તળાવીયા નામના ફેસબુક એકાઉન્ટની વોલ ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે આપત્તિજનક પોસ્ટ નજરે ચઢી હતી. તા. ૧૦ મીની રાત્રે ૮.૧૯ કલાકે મુકેલી પોસ્ટમાં વડાપ્રધાન અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોટો મૂકી અજુગતું લખાણ લખ્યું હતું.

(5:52 pm IST)