ભાજપે બહારથી ગુંડા લાવીને હોબાળો અને હિંસા કરાવી:મમતા બેનર્જીનો આરોપ
વિદ્યાસાગર કૉલજમાં કથિત ભાજપના સમર્થકોએ કરેલી તોડફોડની પણ નિંદા કરી
કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની રેલીમાં હોબાળો મચી ગયો હતો વાહનોમાં તોડફોડ અને આગચંપીના બનાવો બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો ભાજપે આ હુમલા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ગણાવ્યા છે ત્યારે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું, ભાજપે બહારથી ગુંડા લાવીને હોબાળો અને હિંસા કરાવી છે તમણે વિદ્યાસાગર કૉલજમાં કથિત ભાજપના સમર્થકોએ કરેલી તોડફોડની પણ નિંદા કરી હતી
ઘટનાસ્થળે હાજર એક બંગાળી અખબારના વરિષ્ઠ પત્રકાર સોમાન સેને જણાવ્યું, કલકત્તા વિશ્વવિદ્યાલયના દરવાજા પાસે તૃણમૂલ કૉંગ્રેસ વિદ્યાર્થી પરિષદના કેટલાય કાર્યકરો શાહની રેલીમાં પહોંચવા માટે પહેલાંથી જ હાથમાં કાળા વાવટા લઈને ઊભા હતા.
પોલીસે પહેલાં તેમને અટકાવ્યા પણ શાહનો રોડ શો ત્યાં પહોંચતા જ કેટલાય વિદ્યાર્થીઓએ તેમને કાળા વાવટા દેખાડ્યા તેમણે 'અમિત શાહ ગૉ બૅક'ના નારા પણ પોકાર્યા અને અચાનક જ ક્યાંકથી અમિત શાહના વાહન પર પથ્થર અને ડંડા ફેંકાયા. એ બાદ પોલીસ લાઠીચાર્જ કરવા લાગી અને ત્યાં અફરાતફરી મચી ગઈ હતી
તેઓ જણાવે છે કે ભાજપના લોકો પણ પથ્થરમારો કરવા લાગ્યા. દરવાજા તરફ કેટલાય શીશા ફેંકાયા. એ બાદ પોલીસે ત્યાં લાઠીચાર્જ કર્યો એટલે દોડધામની સ્થિતિ સર્જાઈ હતી .