મુખ્ય સમાચાર
News of Monday, 14th May 2018

પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર હુમલો કરી પાછું મેળવોઃ રામદેવજી

ગયા તા. ૧૪ : યોગગુરુ બાબા રામદેવે પાકિસ્તાને પાઠ ભણાવવા માટે ભારતને પાકિસ્તાનના કબજાના કાશ્મીર ઉપર હુમલો કરવાની સલાહ આપી છે. બિહારના ગયામાં એક યોગ શિબિર દરમિયાન યોગગુરુએ એમ પણ કહ્યું કે ભારતે બલૂચિસ્તાનને મદદ કરવી જોઇએ.

રામદેવનું નિવેદન પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ૨૦૦૮ મુંબઇ હુમલામાં પાકિસ્તાની આતંકીઓને સામેલ હોવાનો સ્વીકારના એક દિવસ બાદ આવ્યું છે. રામદેવે કહ્યું હતું કે, એ સાચું છે કે પાકિસ્તાનમાં આતંકીઓને તાલીમ અપાઇ રહી છે. તેનો ઉપાય એ જ છે કે ભારતને પીઓકે ઉપર હુમલો કરવો જોઇએ અને તેને આપણા દેશનો એક ભાગ બનાવી દેવો જોઇએ. ભારતને બલૂચિસ્તાનને આઝાદી અપાવવામાં પણ મદદ કરવી જોઇએ, ત્યારે જ પાકિસ્તાન સાચા રસ્તા પર આવશે.ઙ્ગ યાદ રહે કે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે સ્વીકાર કર્યું હતું કે, મુંબઇ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો જ હાથ હતો. નવાઝ શરીફના આ સ્વીકારે પાકિસ્તાનના હંમેશાના દાવાને ખતમ કરી દીધો છે, જેમાં તે આંતકીઓને ઉછેરવાના આરોપથી હાથ ખંખેરતો રહ્યો છે. નવાઝે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો છે કે તેમના દેશમાં આતંકી સંગઠન સક્રિય છે.(૨૧.૭)

(11:47 am IST)