કોરોના કાળમાં લોકોને મનોરંજન પીરસવા ફરી એકવાર ટીવી સિરિયલ રામાયણ પ્રસારીર થશે
સ્ટારભારત દ્વારા દરોજ સાંજે 7:00 વાગ્યે ટીવી પર પ્રસારણ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોના કાળ વચ્ચે લોકડાઉનની અટકળો થવા લાગી છે ત્યારે લોકોને ઘરમાં રહીને મનોરંજન મળી શકે તે માટે સ્ટાર ભારત ચેનલ પાર દરોજ સાંજે 7:00 કલાકે પ્રખ્યાત ધાર્મિક ટીવી સિરિયલ રામાયણ પ્રસારિત કરવામાં આવી છે. સ્ટાર ભારત પર આ માહિતી આપી છે અગાઉ પ્રસારિત થતી રામાયણ તમામ ટીઆરપી ની રેકોર્ડ તોડ્યો હતો
આ શોએ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડ્યા હતા. લોકો ઘરમાં હતા ત્યારે પરિવાર સાથે મળને આ એપિક સીરિયલનો આનંદ માણી રહ્યા હતા. ઘણા વર્ષો પછી પરી ટીવી પડદા પર રજૂ કરવામાં આવેલ રામાયણ સીરિયલના ખૂબ જ વખાણ થયાં હતા.
આપને જણાવી દઈએ કે, સીરિયલમાં રામની ભૂમિકા અરૂણ ગોવિલે નીભાવી હતી. સીતાનું પાત્ર દીપિકા ચિખલીયા ટોપીવાલા તો લક્ષ્મણનું પાત્ર સુનિલ લહેરીએ નીભાવેલ. લૉકડાઉન દરમિયાન આ શો હિટ જવા પાછળનું કારણ છે રામાયણના કલાકારો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહ્યા હતા.