મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

ગુજરાતના રમખાણોઃ ધર્મસ્થળોની મરમ્મતની અરજીની સમીક્ષા કરવા સુપ્રીમનો ઈન્કાર

નવી દિલ્હીઃ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ થયેલા રમખાણો વખતે ધાર્મિકસ્થળોને થયેલા નુકશાનની ભરપાઈ કરવાનું રાજય સરકારને જણાવતા વર્ષ ૨૦૧૨ના ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાને નકારતા ગયા વર્ષના ઓગસ્ટમાં આપેલા ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરતી અરજી સુપ્રીમકોર્ટે નકારી કાઢી હતી. સર્વોચ્ચ ન્યાયાધીશ દિપક મિશ્રા અને ન્યાયાધીશ આર.કે.અગરવાલની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે ગયા વર્ષની ૨૯ ઓગસ્ટે સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરતી અરજી હાથ ધરવાને પાત્ર નથી.(૩૦.૨)

 

(12:09 pm IST)