મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

આ વર્ષની શરૂઆતમાં ૪ ડઝન આતંકી ઘટનાઃ૧૫ જવાનો શહિદ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે આતંકવાદીઓ દ્વારા હિંસાની ૬૦ ઘટના બની છે અને તેમાં ૧૫ જેટલા જવાનો શહીદ થયા છે અને ૧૭ આતંકીઓ મારી નખાયા છે તેવી માહિતી રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રી હંસરાજ આહિરે આપી હતી. તેમણે કહ્યું હતું કે ચોથી માર્ચ સુધી થયેલી હિંસાની ૬૦ ઘટનામાં ૧૭ આતંકીઓ ઠાર મરાયા છે. અગાઉના વર્ષમાં આ ગાળા સુધી આતંકીઓ દ્વારા હિંસાની આવી ૩૯ ઘટનાઓ બની હતી. એક લેખિત પ્રશ્નના જવાબમાં હંસરાજે ઉમેર્યું હતું કે આ વર્ષના ચોથી માર્ચ સુધી ૧૫ સલામતી જવાનો શહીદ થયા હતા તો ૧૭ આતંકી ઠાર મરાયા હતા.

(10:41 am IST)