મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

સુપરસ્ટાર રજનીકાંત હિમાચલ પ્રદેશની આધ્યાત્મિક યાત્રાઅે: આધ્યાત્મિક ગુરૂના આશિર્વાદ પ્રાપ્ત કર્યા

નવી દિલ્હીઃ સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત હિમાચલ પ્રદેશની આધ્યાત્મિક યાત્રાઅે ગયા છે. તેઓઅે જુદા-જુદા મંદિરોના દર્શન કરીને પોતાના આધ્યાત્મિક ગુરૂના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

રવિવારે સવારે હિમાયલ પ્રદેશના પાલમપુર પહોંચી રજનીકાંતે કહ્યું કે તેઓ હાલમાં રાજકારણની વાત નહીં કરે. તેઓ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમકુમાર ધુમને પણ મળ્યા હતાં. ઉપરાંત બેજનાથના ઐતિહાસિક શિવ મંદિરે જઈ પ્રણામ કર્યા હતાં.

પાલમપુર પછી પહોંચતા અગાઉ તેઓ સિમલા પધાર્યા હતાં. હવે તેઓ ઋષિકેશ પણ જનાર છે. રજનીકાંત તેમના આધ્યાત્મિક ગુરુ યોગીરાજ અમર જ્યોતિ મહારાજને પણ મળ્યા હતાં અને તેમના આશિર્વાદ લીધા હતાં.

રજનીકાંત નિયમિતપણે આધ્યાત્મિક યાત્રાએ જાય છે. તેમણે 31 ડિસેમ્બરે રાજકારણમાં ઝંપલાવવાની તથા તમિલનાડુ વિધાનસભાની બધી જ 234 બેઠકો માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

(7:43 pm IST)