News of Tuesday, 13th March 2018
ઘર ખરીદનારને અનસિકયોર્ડ ફાઇનાન્શિયલ ક્રેડિટર્સની સમકક્ષ ગણવાનો પ્રસ્તાવ
મુંબઈ : રિયલ એસ્ટેટ કંપનીઓની ઇનસોલ્વન્સી પ્રક્રિયામાં ઘર ખરીદનારાઓને અનસિકયોર્ડ નાણાકીય ક્રેડિટર્સની સમકક્ષ ગણવામાં આવશે. તેને લાગુ કરવામાં આવશે તો એવા લોકોને ફાયદો થશે જેમણે જેપી ઇન્ફ્રાટેક, યુનિટેક અને આમ્રપાલી જેવી કંપનીઓ પાસેથી મકાનની ખરીદી કરી હોય અને વળતર મેળવતી વખતે તેમની ઉપેક્ષા થતી હોય.
(11:31 am IST)