મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

ભાજપના ૧૧૬, કોંગ્રેસના ૨૯ સાંસદો કલંકિત, દેશના ૪૩ ટકા સાંસદો કલંકિત

નવીદિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા કલંકિત ઉમેદવારોની વિગતો બહાર પાડવાનો આદેશ આપતા દેશ માટે અત્યંત મહત્વનું પગલું ભર્યું છે. જો કે હાલ દેશની લોકસભામાં બાવન પૈકી ૨૯ સાંસદો સામે અપરાધિત કેસો છે. આ ઉપરાંત બીએસપીના ૧૦માંથી પાંચ, જેડીયુના ૧૬માંથી ૧૩, તૃણમુલ કોંગ્રેસના ૨૨માંથી ૯, એનસીપીના ત્રણમાંથી બે સાંસદો સામે અપરાધિક કેસો થયેલા છે. ઉપરાંત દેશની સંસદમાં કુલ ૫૪૨ સાંસદોમાંથી  ૨૩૩ સાંસદો સામે અપરાધિક કેસો થયેલા છે અને તેમાંથી ૧૫૯ સાંસદો સામે હત્યા, દુષ્કર્મ અને અપહરણ જેવા ગંભીર અપરાધિક કેસો દાખલ થયા છે.

(11:27 am IST)