મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

ઉતરપ્રદેશના ભાજપાના મુખ્યમંત્રી પર આતંકવાદી હુમલાની આશંકાઃ

ગોરખનાથ મંદિરની સુરક્ષા વધારી દેવાઇઃ ગુપ્તચર એજન્સીઓએ ઉતરપ્રદેશ પોલીને ચેતવ્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  પર ગોરખપુરના ગોરખનાથ મંદિરમા સંભવિત આતંકી હુમલાને લઇ એલર્ટ જારી કરેલ છે. ગુપ્તચર એજન્સીની જાણકારી અનુસાર આ વાતની સંભાવના છે કે હુમલાખોર મંદિરમાં પત્રકારના રૂપમા પ્રવેશ કરી શકે છે એલર્ટ બાદ ગોરખનાથ મંદિરની સુરક્ષા વધારી દેવામા આવી છે.

સૂત્રોએ કહ્યું કે ગોરખપુર પોલીસને સ્થાનીય પત્રકારો દ્વારા આપવામાં આવેલ જાણકારીઓની સમુચિત તપાસ પછી એમનો નવો ફોટો ઓળખપત્ર બનાવવા માટે કહેવામાં આવ્યું છે યોગી આદિત્યનાથને લખનૌમાં પત્રકારોથી દુરી બનાવી રાખવાવાળા નેતાના રુપમા જોવામાં આવે છે.  જયારે ગોરખપુરમા મીડિયા કર્મી એમને આસાનીથી મળી શકે છે. તેના ગોરખપુરમા રહેવા દરમ્યાન મંદિર પરિસરમા જનતા દરબારમાં પણ સ્થાનીય લોકો સાથે મુલાકાત કરી શકે છે.

(12:00 am IST)