મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

બિહારઃ લાલૂ પ્રસાદના વેવાઇ ચંદ્રિકા રાયએ જદ(યુ) માં જવાના આપ્યા સંકેત

રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અધ્યક્ષ લાલુ પ્રસાદના વેવાઇ અને તેજપ્રતાપના સસરા ચંદ્રિકા રાયએ ગુરુવારના મુખ્યમંત્રી નીતીશકુમારની જોરદાર પ્રશંસા કરી અને પોતે પણ જદ (યુ) મા જવાના સંકેત આપ્યા. ચંદ્રિકા રાયએ ગુરુવારના  અહીં કહ્યું  કે રાજદમા  ઘણા લોકો અસંતુષ્ટ છે. ઘણા ધારાસભ્યોમા પણ અસંતોષ છે. અને પાર્ટી જે રીતે ચાલી રહી છે એનાથી કાર્યકર્તા ખુશ નથી. મારી જાણકારી મુજબ ઘણા લોકો પાર્ટી છોડવા માંગે છે.

પૂર્વ મંત્રી ચંદ્રિકાએ રાજદની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતા  કહ્યું લોકસભા ચૂંટણીમાં  ઘણા લોકોએ રાજદની સાથે વિશ્વાસઘાત કર્યો. લોકોએ પાર્ટી તરફથી ઘોષિત ઉમેદવારોનો પણ વિરોધ કર્યો. ખુલ્લી રીતે પાર્ટીનો વિરોધ કરી રહેલ નેતાઓ પર કોઇ કાર્યવાહી ન થઇ. પૂર્વ મુખ્યમંત્રી દારોગારાયના પુત્ર ચંદ્રિકારાયએ તો ત્યાં સુધી કહ્યું કે પોતાના જ લોકોએ તેજસ્વી યાદવ પર પણ સવાલ ઉઠાવ્યા. થોડા લોકો કહેતા હતા કે તેજસ્વીમા ક્ષમતા જ નથી બે મીટીંગ કર્યા પછી તે થાકી જાય છે. પાર્ટી વિરૂદ્ધ બગાવત કરનારાઓ વિરૂદ્ધ  ન કોઇ  કાર્યવાહી થઇ અને ન કારણ બાતાઓ નોટીસ આપવામાં આવી.

(9:22 am IST)