મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

અહો આશ્ચર્યમ!!! ટવીટર ઉપર કેજરીવાલે ૧૧ મહિનામાં'' નરેન્દ્રભાઇ''નો ઉલ્લેખ જ નથી કર્યો

છેલ્લે ૯ માર્ચ ૨૦૧૭ના રોજ વડાપ્રધાન ઉપર ટ્વીટ કરેલ

 નવીઃદિલ્હી અરવીંદ કેજરીવાલની સરકારને દિલ્હીમાં શાસનને  ૩ વર્ષ પુરા થઇ ગયા છે. કેજરીવાલ નરેન્દ્રભાઇ ઉપર ટ્વીટ દ્વારા અવારનવાર પ્રહારો કરતા હોય છે. પણ છેલ્લા ૧૧ મહિનામાં મુખ્યમંત્રી કેજરીવાલે એક પણ વાર '' મોદી'' નામનો ઉલ્લેખ સુધ્ધા નથી કર્યો. કેજરીવાલના ટવીટર  ઉપર ૧.૩ કરોડ ફોલોઅર્સ છે. કેજરીવાલે છેલ્લે ૯ માર્ચ, ૨૦૧૭ના રોજ કરેલ ટ્વીટમાં નરેન્દ્રભાઇનો ઉલ્લેખ કર્યો હતો.  ગત ૨૦૧૭ના વર્ષમાં કેજરીવાલે કુલ ૩૩ વાર નરેન્દ્રભાઇ મોદીના નામનો  ઉલ્લેખ કરી ટ્વીટ કરેલ. જયારે ૨૦૧૬ દરમ્યાન ૧૨૪ વાર ટ્વીટમાં વડાપ્રધાનનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આપના નેતાઓ તથા રાજકીય પંડીતો મુજબ આ ફેરફાર ગત ચુંટણીમાં નુકશાન બાદ થયો છે.

(7:41 pm IST)