મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

૪૦ હજાર મતથી હાર્યો છુ, છતા અલમસ્ત છુ, સર્વશકિતશાળી છુ!!

હાર માટે ભાજપ નેતૃત્વ ઉપર સીધા પ્રહારો

અલવર : પેટા ચુંટણીમાં ભાજપની હાર બાદ પાર્ટીના એક ધારાસભ્યની કાર્યકર્તા સાથે મોબાઈલ પર થઈ વાતચીતનો ઓડીયો વાઈરલ થયો છે. આ ઓડીયો રામગઢના ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા અને કાર્યકર્તા ઓમપ્રકાશ ચૌધરીની વાતચીતનો છે. તેમાં ધારાસભ્ય પેટા ચુંટણીમાં હાર માટે સીધા સરકારના મુખ્ય નેતૃત્વ અને પાર્ટી પ્રદેશાધ્યક્ષ અશોક પરનામીને જવાબદાર ગણાવે છે. વાતચીતમાં આહુજાએ શાયરાના અંદાજમાં જણાવ્યું કે, 'જેવુ તે કર્યું છે, તેવુ જ તુ ભરીશ, તારા કર્યાનો બદલો અહીં જ મળશે.' તેઓએ જણાવ્યું કે, હું તો ૪૦ હજારથી હાર્યો છુ, છતા મસ્ત છુ અને શકિતશાળી છુ, મૌલા છુ, ઓલ રાઉન્ડર છુ.

(3:41 pm IST)