મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજીની નાયડુ

પુરૂ નામ : સરોજીની નાયડુ

જન્મ : ૧૩ ફેબ્રુઆરી, ૧૮૭૯

મૃત્યુ : ૨ માર્ચ ૧૯૪૯

જન્મસ્થળ : હૈદ્રાબાદ

પિતા : ડો. અઘોરનાથ ચટ્ટોપાધ્યાય

માતા : વરદ સુંદરી

શિક્ષણ : ૧૮૯૧માં ૧૨ વર્ષની ઉંમરમાં મેટ્રીકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયા. આગળના અભ્યાસ માટે ઈંગ્લેન્ડની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો પરંતુ ડિગ્રી લીધા વિના ભારત પરત આવ્યા.

૧૯૩૦માં મહાત્મા ગાંધીના 'મીઠા સત્યાગ્રહ'નું નેતૃત્વ સરોજીની નાયડુએ ઘણી ધીરજથી કર્યુ

૧૯૪૨ના 'ચાલ્યા જાવ' આંદોલનમાં તેમણે ભાગ લીધો અને જેલ ગયા.

૧૯૪૭માં સ્વતંત્ર ભારતમાં ઉત્તરપ્રદેશના પહેલા ગર્વનરરૂપે તેમની પસંદગી કરવામાં આવી.

(12:42 pm IST)