મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

વિધર્મી સાથે લગ્ન કરતા પહેલા નોટિસ આપવી તે બાબત વ્યક્તિની ગોપનીયતાનો ભંગ ગણાય : નાત ,જાત ,કે ધર્મને ધ્યાનમાં લીધા વિના લગ્ન માટે પાત્રની પસંદગી કરવાનો પુખ્ત વયની વ્યક્તિને અધિકાર છે : રાજય સરકાર ,પરિવાર ,કે સમાજ દખલગીરી કરી શકે નહીં : અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

અલ્હાબાદ : તાજેતરમાં અલ્હાબાદ હાઇકોર્ટએ આપેલા ચુકાદામાં  જણાવ્યું છે કે લગ્ન કરનાર દંપતીએ જાતે જ નક્કી કરવાનું છે કે તેઓ પોતાના લગ્ન માટે સ્પેશિઅલ મેરેજ એક્ટ 1954 મુજબ વાંધા વચકા મગાવવા માંગે છે કે કેમ.અથવા તો લગ્ન કરતા પહેલા જાહેર નોટિસ આપવી કે કેમ તે બાબત તેઓની ઈચ્છા ઉપર આધારિત છે.

લગ્ન કરતા પહેલા ફરજીયાત નોટિસ આપવી પડે તો તે બાબત તેઓની ગોપનીયતાના તથા વ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગ સમાન ગણાય.તથા સમાજના હસ્તક્ષેપ સમાન ગણાય.

નામદાર કોર્ટએ ઉમેર્યું હતું કે અલબત્ત લગ્ન કરનાર દંપતી પોતાના લગ્નની બાબતને  ગૌરવપુર્વ ગણાવવા માગતું હોય તો તે અગાઉથી નોટિસ આપી શકે છે.જે લગ્ન રજીસ્ટારે 30 દિવસમાં પ્રસિદ્ધ કરવાની રહે છે.અને વાંધા વચકા મંગાવવાના રહે છે.

તે સિવાયના કેસમાં નોટિસ આપવી ફરજીયાત નથી.જે બાબતે નામદાર કોર્ટએ સુપ્રીમ કોર્ટ તથા અન્ય હાઇકોર્ટોના જજમેન્ટ ટાંક્યા હતા.તથા જણાવ્યું હતું કે પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો પુખ્ત વયની વ્યક્તિનો અધિકાર છે.તેમાં નાત ,જાત ,કે ધર્મ બાધારૂપ નથી.તેથી રાજ્ય સરકાર ,પરિવાર ,કે સમાજ તેમાં દખલગીરી કરી શકે નહીં.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:51 pm IST)