મંદિરની બહાર બેસીને ડોગી લોકોને આશીર્વાદ આપે છે
સોશ્યલ મીડિયા પર વાઇરલ વિડિયોમાં મંદિરની બહાર બેઠેલો એક શ્વાન બહાર નીકળી રહેલા ભકતોને આશીર્વાદ આપી રહ્યો છે અને તેમની સાથે હાથ પણ મિલાવી રહ્યો છે
મુંબઇ,તા. ૧૩: સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો એક વિડિયો જોઈને સૌ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. વિડિયોમાં મંદિરની બહાર બેઠેલો એક શ્વાન બહાર નીકળી રહેલા ભકતોને આશીર્વાદ આપી રહ્યો છે અને તેમની સાથે હાથ પણ મિલાવી રહ્યો છે.
આ વિડિયો સિદ્ઘટેકના સિદ્ઘિવિનાયક મંદિરનો હોવાનું જણાવાઈ રહ્યું છે. વિડિયો ફેસબુક પર અરુણ લિમડિયાએ શેર કર્યો છે. અરુણે ફેસબુક પર બે વિડિયો શેર કર્યા છે. વિડિયોમાં મંદિરના એકિઝટ ગેટ પર એક ડહોગી બેઠો છે અને મંદિરમાંથી બહાર નિકળી રહેલા ભકતોને પોતાનો પંજો ઉઠાવીને આશીર્વાદ આપી રહ્યો છે. લોકો આ શ્વાનના ફેન થઈ ગયા છે.
વિડિયો જોયા બાદ ઘણા લોકોએ આ શ્વાનને જોવા માટે મંદિર જવાની ઇચ્છા વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે સિદ્ઘટેકનું સિદ્ઘિવિનાયક મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે અને રોજ મોટી સંખ્યામાં ભકતો ભગવાન શ્રી ગણેશનાં દર્શન કરવા આવે છે.