જજ લોયાના મૃત્યુના મામલે હવે અનેક સવાલો ઉઠ્યા છે
નવી દિલ્હી : વર્ષ ૨૦૧૪માં Sohrabuddin એન્કાઉન્ટર કેસની સુનવણી કરી રહેલા સીબીઆઈના જજ બૃજગોપાલ લોયાના મૃત્યુ બાદ આવેલા જજે Amit Shah ને કેસમાં નિર્દોષ જાહેર કરી દીધા હતા. જેની વિરુદ્ધ સીબીઆઈએ આજદિન સુધી અપીલ કરી નથી. જો કે હાલમાં જ સુપ્રીમ કોર્ટ આ કેસની તપાસના આદેશ આપ્યા છે. જેના પગલે આ કેસના તપાસની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ મુદ્દો હાલમાં જ સુપ્રિમ કોર્ટના ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને પણ ઉઠાવ્યો હતો. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે ન્યાયિક તપાસની માંગ કરી છે. ત્યારે આવો જાણીએ આ રહસ્યમય મોત અંગે ઉભા થયેલા સવાલો અંગે.
વર્ષ ૨૦૧૪માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનવણી કરી રહેલા સીબીઆઈના જજ બૃજગોપાલ લોયાના થયેલા અચાનક અવસાન બાદ ત્રણ વર્ષ બાદ કુટુંબીજનોએ તેમની મોત પર સવાલ ઉઠાવ્યા છે. આ કેસમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ગુજરાત પોલીસના કેટલાંક નામી આઈપીએસ અધિકારીઓ પણ સામેલ હતા.
બૃજગોપાલ લોયાના પરિવારજનોએ આ વાતચીતનો હવાલો આપતા ધ કારવાં પત્રિકાએ આ અહેવાલમાં જણાવ્યું છે કે લોયાના મૃત્યુ પર અનેક શંકાકુશંકા ઉભી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈ જજ લોયાનું મૃત્યુ ૧ ડિસેમ્બર ૨૦૧૪માં નાગપુરમાં થયું હતું. જેનું કારણ હાર્ટ એટેક માનવામાં આવે છે.તે નાગપુરમાં સહયોગી જજ સ્વપ્ના જોશીની પુત્રીના લગ્નમાં ગયા હતા.
લોયાના મૃત્યુના કારણ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર મુત્યુ ૧ ડિસેમ્બર ૨૦૧૪ સવારે ૬.૧૫ વાગે થયુ હતું. જયારે પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમને ૧ તારીખે સવારે ૫ વાગે તેમના મુત્યુના સમાચાર આપવામાં આવ્યા હતા.
લોયાના મૃત્યુનું કારણ હાર્ટ એટેક માનવામાં આવે છે જયારે પરિવારજનોએ તેમના કપડા પર લોહીના ડાધા જોયા હતા.