જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ
શ્રીનગર: રાજોરીના સુંદરબનીમાં પાકિસ્તાને એકવાર ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાક ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. પાકિસ્તાનની ગોળીબાર બાદ ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી નુકસાનની કોઈ ખબર મળી નથી
શહીદ થયેલ જવાનનું નામ લાંસ નાયક યોગેશ મુરલીધર ભડાને છે. યોગેશ મુરલીધર ભડાને નિયંત્રણ રેખા પર સુરક્ષા માટે સુંદરબની સેક્ટરમાં તહેનાત હતા. જવાબી કાર્યવાહી દરમિયાન યોગેશ મુરલીધર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જે બાદમાં સારવાર દરમિયાન શહિદ થઈ ગયા હતા. 28 વર્ષના યોગેશ મુરલીધર ભડાને મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના રહેવાસી હતા.