CJI દીપક મિશ્રા ચાર જજો સાથે મુલાકાત કરી શકે છે સોમવાર સુધી વિવાદના ઉકેલની શકયતા : એટર્ની જનરલ
નવી દિલ્હી : શુક્રવારે સુપ્રીમકોર્ટની ચાર જજોએ સીજેઆઇ દીપક મિશ્રા વિરૂધ્ધ ફરિયાદો કરવા પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટનો વહીવટ એકદંરે સારો નથી. આ વિષે વાતચીત દરમિયાન સરકારના એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે નિવેદન આપી જણાવ્યું કે, વકીલો અને પક્ષકારો સુપ્રીમકોર્ટના જજો વચ્ચે એકતા અને સંપ જોશે. એમણે કહ્યું અમનેઆશા છે કે, સંસ્થાના હિતને ધ્યાનમાં રાખીને સમગ્ર વિવાદને સમેટી લેવામાં આવશે અને આગળ નહીં વધવા દેશે. બધા જજો બુધ્ધિમાન અને અનુભવી છે. સમાજમાં પ્રતિષ્ઠા ધરાવે છે જેને આંચ આવવા નહીં દે. બીજી બાજુ સૂત્રોએ જણાવ્યું છે કે, સીજેઆઇ દીપક મિશ્રા નારાજ જજો સાથે મુલાકાત કરી શકે છે.