News of Wednesday, 13th November 2019
ર૦૧૧ માં એનસીપી પ્રમુખ શરદ પવારને થપ્પડ મારનાર શખ્સની ર૦૧૯ માં થઇ ધરપકડ
એનસીપી પ્રમુખ શરદ પવારને ર૦૧૧ મા થપ્પડ મારનાર શખ્સ હરવિંદરસિંહની આઠ વર્ષ પછી દિલ્લી પોલીસએ ધરપકડ કરી છે.
દિલ્લીની અદાલતએ ર૦૧૪ માં શખ્સને અપરાધી જાહેર કર્યો હતો. તત્કાલિન કેન્દ્રીય મંત્રી રહેલા શરદ પવાર દ્વારા ઇફકોના એક કાર્યક્રમમાં ભાગ લેવા દરમ્યાન શખ્સએ થપ્પડ મારી હતી વધતી મોંઘવારી અને સિસ્ટમથી શખ્સ નારાજ હતો.
(11:08 pm IST)