મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

શિવસેના નેતા અનંત તરેનું મોટુ નિવેદન

ઉધ્ધવ ઠાકરેએ હજુ સુધી બીજેપી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી નથી

મુંબઇઃ મહારાષ્ટ્ર સરકાર બનાવા અંગે ચાલુ રહેલા રાજનૈતિક ગતિરોધ વચ્ચે શિવસેના નેતા અનંત તરેએ બીજેપી સાથે ગઠબંધન તૂટવાના સવાલ પર મોટુ નિવેદન આપ્યું છે. જ્યારે શિવસેના નેતાને પુછવામાં આવ્યું કે શિવસેનાની જો એનસીપી અને કોંગ્રેસ સાથે વાત નહી બને તો? આ સવાલ પર શિવસેના અનંત તરેએ કહ્યું કે તે ઉધ્ધવજી અમિત શાહજી અને આદરણીય મોદીજી નક્કી કરશે. તેઓએ કહ્યું કે ઉધ્ધવ ઠાકરેએ હજુ સુધી બીજેપી સાથે ગઠબંધન તૂટવાનું એલાન કર્યું નથી. શિવસેના નેતાએ એનસીપીના કોઇ નેતાને મુખ્યમંત્રી બનાવાની વાતને પણ નકારીે દીધી છે. તેઓએ કહ્યું મુખ્યમંત્રી શિવસેનાના જ થશે.

(12:57 pm IST)