મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

જમ્મુ-શ્રીનગર હાઇવે પર પોલીસ ચેકપોસ્ટ પર આતંકી હુમલો :અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકવાદીઓ ફરાર

જમ્મુ કાશ્મીરના જમ્મુ-શ્રીનગર હાઈવે પર આતંકવાદીઓએ પોલીસ ચેકપોસ્ટ પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ ચેકપોસ્ટ પર બેફામ ફાયરિંગ કર્યુ હતું. આતંકવાદીઓ ફાયરિંગ કરીને ફરાર થયા હતા.

   આતંકવાદીઓએ બસમાં સવાર થઈને આવ્યા હતા. જે બાદ આતંકવાદીઓએ બેફામ ફાયરિંગ કર્યુ હતું. સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ તેજ કરતા આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે.

   આતંકવાદીઓએ પોલીસ કર્મચારીઓના પરિવારના સભ્યોનું અપહરણ કરતા સેનાએ આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

-- 

(9:32 pm IST)