મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

કોઇ PMની હત્યાનું ષડયંત્ર રચે અને અમે ધરપકડ પણ ન કરીએ? : અમિત શાહ

શાહે ભીમા-કોરેગાંવ હિંસા મામલે વામપંથી વિચારકોની ધરપકડ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી

જયપુર તા. ૧૨ : રાજસ્થાનમાં ચૂંટણીની તૈયારીઓ જોવા માટે પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભીમા-કોરેગાંવ હિંસા મામલે વામપંથી વિચારકોની ધરપકડ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી. વામપંથી વિચારકો વિરુદ્ઘ પોલીસના એકસનનું સમર્થન કરતા અમિત શાહેર કહ્યું હતું કે, કોઇ વડાપ્રધાનને મારવાનું ષડયંત્ર બનાવે અને અમે તેની ધરપકડ પણ ન કરીએ એવું કેવી રીતે થઇ શકે છે.

જયપુર પહોંચેલા અમિત શાહ શકિત કેન્દ્ર સમ્મેલનમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. જયાં તેમણે કોંગ્રેસ ઉપર નકસલીઓની સાંઠગાંઠનો આરોપ લગાવતા કહ્યું હતું કે, કોઇ વડાપ્રધાનને મારવાનું ષડયંત્ર રચે તો અમે કોઇ કાર્યવાહી કર્યા વગર કેવી રીતે રહી શકીએ? કોંગ્રેસ ઉપર નિશાન સાધતા શાહે કહ્યું હતું કે, શરુમાં તો તેમણે ધરપકડ કરાયેલા અર્બન નકસલનું સમર્થન કર્યું પરંતુ પછી અમે તેમને પુરાવા આપવાનું શરૂ કર્યું તો કોંગ્રેસ ચુપ થઇ ગઇ છે.

અમિત શાહે કાર્યકર્તાઓને કહ્યું કે, આવનારી ચૂંટણીમાં પાર્ટીની જીત માટે સંપૂર્ણ લગનથી લાગી જાઓ. બીજેપી અધ્યક્ષે કહ્યું કે, ઉત્તર પ્રદેશના અખલાક મર્ડર વિવાદ અને એવોર્ડ પરત આપવાના અભિયાન છતાં પણ બીજેપીએ લોકસભામાં જીત મેળવી છે. આ વખતે પણ અમે જીત મેળવીશું. શકિત કેન્દ્ર સમ્મેલનમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીત આવનારા ૫૦ વર્ષો સુધી યથાવત્ રહેશે. એટલા માટે કાર્યકર્તાઓને  સખત મહેનત કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, ઓકટોબર-નવેમ્બરમાં રાજસ્થાનની સાથે છત્ત્।ીસગઢ, મધ્યપ્રદશ અને મિઝોરમમાં ચૂંટણી થશે. બીજેપીએ રાજસ્થાનમાં અત્યારના મુખ્યમંત્રી વસુંધરા રાજે જ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૨૦૧૫માં કન્નડ લેખક કલબુર્ગીના ઘરમાં ઘુસીને હત્યા કરાઇ હતી. જેના વિરોધમાં લેખકો અને સાહિત્યકારોએ વધતી અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવીને એવોર્ડ વાપસી અભિયાન શરૂ કર્યું હતું. આ સપ્ટેમ્બરમાં ઉત્તર પ્રદેશના દાદરીમાં મોબ લિંચિગનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં બિફ રાખવાના શંકાના આધારે ટોળાએ ઢોર માર મારીને અખલાક નામના વ્યકિતની હત્યા કરી દીધી હતી. આ ઘટનાનો દેશભરમાં વિરોધ થયો હતો.(૨૧.૬)

(11:59 am IST)