મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

સરકારની આંગણવાડી કાર્યકર્તાઓને ભેટ: વેતન ત્રણ હજારથી વધારી ૪૫૦૦ કર્યું સહાયિકાઓને 1500 રૂપિયાના સ્થાને 2250 રૂપિયા મળશે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણવ્યું કે કેન્દ્ર સરકારે દેશભરના આશા અને આંગણવાડી કાર્યકર્તાઓની આવકમાં કેન્દ્રના ભાગમાં વૃદ્ધિ કરતા આશાકર્મીઓની પ્રોત્સાહન રકમ વધારીને બેગણી કરી છે. ઉપરાંત આંગણવાડી કાર્યકર્તાઓના 3000 રૂપિયાથી વધારીને 4500 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

 

   આશા, આંગણવાડી કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદી એપ અને વીડિયો લિંકના માધ્યમથી સંવાદ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે જે આંગણવાડી કાર્યકર્તાઓ ને 2250 રૂપિયા હતા, તેમણે ત્યારે 3500 રૂપિયા મળશે. આંગણવાડી સહાયિકાઓને 1500 રૂપિયાના સ્થાને 2250 રૂપિયા મળશે.

(12:00 am IST)