મુખ્ય સમાચાર
News of Tuesday, 13th July 2021

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનનાં પુસ્તક પ્રેગનન્સી બાઈબલ સામે ખ્રિસ્તીઓનો ભારે વિરોધ

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની તેના નવા પુસ્તકને લઈને મુશ્કેલી વધી : ઓલ ઈન્ડિયા માઈનોરિટી બોર્ડ દ્વારા આ નામ સામે વાંધો ઉઠાવીને એક્ટ્રેસ સામે ફરિયાદની યોજના બનાવશેે

મુંબઈ, તા.૧૩ : બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન  તાજેતરમાં લોન્ચ કરેલી પોતાની બૂકના કારણે મુશ્કેલીમાં પડી શકે છે.

પોતાના બીજા પુત્ર જેહની પ્રેગનન્સી બાદ  કરીનાએ પુસ્તક લખ્યુ હતુ અને તેને પ્રેગનન્સી બાઈબલ નામ આપ્યુ હતુ.જોકે નામને લઈને હવે ખ્રિસ્તી સમુદાયમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ઓલ ઈન્ડિયા માઈનોરિટી બોર્ડ દ્વારા નામ સામે વાંધો ઉઠાવીને એક્ટ્રેસ સામે ફરિયાદ કરવાની યોજના બનાવાઈ રહી છે.

બોર્ડના અધ્યક્ષ ડાયમંડ યુસુફનુ કહેવુ છે કે, પુસ્તકના પ્રેગનન્સી બાઈબલ નામ સામે વાંધો છે. બીજી તરફ કાનપુરમાં પણ એક બેઠક યોજવામાં આવી હતી.જેમાં સંખ્યાબંધ લોકો સામેલ થયા હતા.તેમાં કરીના કપૂરના પુસ્તકના નામને વખોડી કાઢવામાં આવ્યુ હતુ અને નિર્ણય લેવાયો હતો કે, મામલામાં કેસ કરવામાં આવશે. પહેલા કાનૂની સલાહ પણ લેવામાં આવશે.

વિવાદ પર કરીના કપૂર તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી.પોતાની પ્રેગનન્સીના અનુભવો પર કરીનાએ બૂક લખી છે.કરીના કપૂરનુ કહેવુ હતુ કે, બૂક મારા દિલની બહુ નજીક છે.

કારણકે મેં તેમાં મારા પ્રેગનન્સી દરમિયાનના શારીરિક અને ભાવનાત્મક અનુભવોને શેર કર્યા છે.મારા માટે બૂક મારા ત્રીજા સંતાન જેવી છે.

(7:42 pm IST)