મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

દિલ્હીમાં અધિકાર અંગે રસાકસીઃ એલજીએ રાજનાથસિંહ સાથે કરી મુલાકાત

નવીદિલ્હી, તા.૧૩: દિલ્હીના ઉપરાજયપાલ અનિલબૈઝલે આજે ગૃહમંત્રી રાજનાથસિંહના આવાસ પર મુલાકાત કરી એક દિવસ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃૃહમંત્રી સાથે મુલાકાત  કરી તથા અધિકારીઓની નિયુકિત અને બદલી સંબંધી નિર્ણયો પર તેમની સરકારના દાવા અંગેની જાણકારી આપી.

અધિકારીએ જણાવ્યું કે બૈઝલે રાષ્ટ્રીય પાટનગર સાથે જોડાયેલી સેવા તના અન્ય મુદ્દાપર રાજનાથસિંહ સાથે તેના આવાસ પર મુલાકાત કરી. કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોટિયાએ સિંહ સાથેની મુલાકાતમા જોર આપ્યું કે હાલના કોર્ટના નિર્ણય બાદ સેવા મામલે  પર તેની સરકારનો અધિકાર છે.

(4:25 pm IST)