મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

પાકિસ્તાનના પગલે મોદી સરકાર ધાર્મિક ઉગ્રવાદ બહેકાવી રહી છે

શશી થરૂરના પગલે દિગ્વિજયસિંહ

નવી દિલ્હી તા.૧૩: દિગ્વીજયસીંહે હાલની ભાજપા સરકારને પાકિસ્તાન સાથે સરખાવતા કહ્યું કે ભારત સરકાર દ્વારા ધાર્મિક ચરમ પંથનો ફેલાવો વધી રહ્યો છે જે ખતરનાક છે.

દિગ્વીજયસીંહે કહ્યું કે ઉગ્રવાદમાંથી આતંકવાદ ઉત્પન્ન થાય છે. પાકિસ્તાનમાં જીયા-ઉલ-હક દ્વારા ધાર્મિક ઉગ્રવાદનો પ્રસાર કરાયો હતો જેના લીધે ત્યાં આતંકવાદ ફેલાયો હતો. ભારત સરકાર દ્વારા પણ ધાર્મિક ઉગ્રવાદ એટલે કે કહેવાતા હિંદુત્વનો પ્રસાર થઇ રહ્યો છે જે એજ પ્રકારનો ખતરનાક માર્ગ છે. તેમનું આ બયાન શશી થરૂરના બયાન પછી ભાજપા પર નવો હુમલો છે. જો કે શશી થરૂરની ટીકાઓ બધી બાજુ થઇ રહી છે અને કોંગ્રેસ પક્ષ પણ તેમના બયાન બાબતે એક બાજુ ખસી ગઇ છે.

(3:56 pm IST)