News of Friday, 13th July 2018
આયુષ્યમાન ભારત’ ને છત્તીસગઢમાં ઝાટકો: ઈલાજ કરવા ડોક્ટરોનો નનૈયો
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી યોજના 'આયુષ્યમાન ભારત'ને ને ભાજપ શાસિત રાજ્ય છત્તીસગઢમાં જ ઝાટકો પડ્યો છે. છત્તીસગઢ મેડિકલ એસોસિએશને આયુષ્માન ભારતના આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓ પૂરી પાડવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમની દલીલ છે કે, મુખ્યમંત્રી સ્વાસ્થ્ય બીમા યોજનાના (MSBY) પેકેજ દરથી પણ આયુષ્યમાન ભારતના દર 40 ટકાથી પણ ઓછા છે.
(1:23 pm IST)