જાપાનમાં પૂર અને ભૂસખલનથી 200 લોકોના મોત :બે લાખ ઘરોમાં અંધારપટ ::4 લાખ લોકો પ્રભાવિત
50 હજાર મકાનોને નુકશાન :બચાવ અભિયાનમાં 83 હેલિકોપ્ટર અને 70 હજારથી વધારે જવાનો જોડાયા
નાગાસાકી : પશ્ચિમ જાપાનમાં પુર અને ભુસ્ખલનથી અત્યાર સુધીમાં 200 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 80થી વધારે લોકો હજી પણ ગુમ છે. 10 હજારથી વધારે લોકો રાહત શિબિરમાં જીવી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અનુસાર પૂર બાદ 2 લાખથ વધારે ઘરો વિજ વિહોણા છે. પીવાના પાણીની પણ મોટી સમસ્યા ઉભી થઇ છે. જાપાનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અનુસાર, જાપાનમાં આવેલા પુરમાં હ્યુગો, ઓકાયામા, યામાગુચી, હિરોશીમા અને ટોટ્ટોરી પ્રાંતના 4 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે.
હિરોશીમા, ઓકાયામા અને સાગાને સૌથી વધારે નુકસાન થયું છે. અહી અંદાજિત 50 હજારથી વધારે મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. બચાવ અભિયાનમાં 83 હેલિકોપ્ટર અને 70 હજારથી વધારે જવાનો બચાવ કાર્યમાં ગોઠવાયા છે. રેસક્યું ટીમ કાટમાળમાંથી દટાયેલા લોકોને શોધી રહી છે. જાપાનમાં 36 વર્ષ બાદ આ પ્રકારનું પુર આવ્યું છે. આ અગાઉ 1982માં આ પ્રકારનું પુર આવ્યું હતું. ત્યાર બાદ આ 3 દશકનું સૌથી મોટુ પુર છે.