મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

દેશમાં કોરોનાના શાંત પડ્યો : નવા 67.252 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.10.404 દર્દીઓ રિકવર થયા : વધુ 3819 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.74.226 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.74.127 થયા : કુલ કેસની સંખ્યા 2.95.06.328 થઇ

સૌથી વધુ તામિલનાડુમાં 14.016 કેસ,કેરળમાં 11.584 કેસ, મહારાષ્ટ્રમાં 10.442 કેસ, કર્ણાટકમાં 7810 કેસ, આંધ્રપ્રદેશમાં 6770 કેસ,ઓરિસ્સામાં 4469 કેસ, પશ્ચિમ બંગાળમાં 3984 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 67.252 કેસ નોંધાયા છે. જ્યારે 1.10.404 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 67.252 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3819 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,74.226 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.10/404 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,95.06.328 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 9.74.127 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.10.404 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,81.46.378 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 14.016 કેસ,કેરળમાં 11.584 કેસ, મહારાષ્ટ્રમાં 10.442 કેસ, કર્ણાટકમાં 7810 કેસ, આંધ્રપ્રદેશમાં 6770 કેસ,ઓરિસ્સામાં 4469 કેસ, પશ્ચિમ બંગાળમાં 3984 કેસ નોંધાયા છે

(11:58 pm IST)