મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

પોરબંદરમાં તોફાની મોજાથી નીલકંઠ મહાદેવનું મંદિર ધરાશાયી

પોરબંદર : વાયુ ચક્રવાતની વચ્ચે પોરબંદરમાં નીલકંઠ મહાદેવનું મંદિર ધરાશાઈ થઈ ગયું છે. ભારે તોફાન અને વરસાદના કારણે મહાદેવનું મંદિર તૂટી ગયું હતું. અગાઉ પણ પોરબંદરમાં વિકરાળ મોઝા ઉછળ્યા હતા જેના કારણે સ્થાનિકોને ખસેડવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે વાયુ વાવાઝોડાના તોફાની મોઝામાં મહાદેવનું મંદિર પણ ધરાશાયી થઈ ગયું છે.

(12:49 pm IST)