મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

યુ.પી.માં આંધી સાથે વરસાદ : ૧૭ નામોત

ઠેરઠેર વૃક્ષો-વીજ થાંભલા તુટી પડયા : અનેક જીલ્લાઓમાં વિનાશ

નવી દિલ્હી તા ૧૩  :  છેલ્લા કેટલાક દિવસથી ગરમીથી બેહાલ યુપીના અનેક જીલ્લાઓમાં ગઇકાલે આંધી સાથે વરસાદે કાળોકેર મચાવ્યો હતો. અલગ અલગ ઘટનાઓમાં ૧૭ ના મોત થયા છે. બસ્તીના  સિધ્ધાર્થનગરમાં-૪, દેવરીયા તથા અવધમાં ૩-૩, બલિયામાં-ર, આઝમગઢ, કુશીનગર, મહારાજગંજ, લખીયાપુર તથા પીલીભીતમાં ૧-૧ લોકોના મોત થયા છે.

આંધીને કારણે અનેક વૃક્ષો તુટી પડયા હતા તથા અનેક ટીનના શેડ ઉડી ગયા હતા, અનેક સ્થળે વિજ થાંભલા તુટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો.

કોઇના વિજળી પડવાથી, કોઇના દિવાલો પડવાથી તો કોઇના વૃક્ષ પડી જવાથી મોત થયા હતા.ધુળની ડમરીનું તોફાન આવ્યું હતુ કે વીઝીબીલીટી પણ ઘટી ગઇ હતી.

(11:46 am IST)