મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

PNBમાં થઇ શકે છે ૨ મોટા બેંકોનું મર્જરઃ નાણા મંત્રાલયે તૈયાર કર્યો પ્લાન

પહેલા તબક્કામાં પંજાબ નેશનલ બેંક સાથે અલહાબાદ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રને મર્જ કરી લેવામાં આવી શકે છે. તો બીજી તબક્કામાં કેનરા બેંક સાથે ૨ બેંકોના મર્જરનો પ્રસ્તાવ છે

નવી દિલ્હી, તા.૧૩: મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકાર તેજ એકશનમાં કામ કરી રહી છે. ખાસકરીને નાણા મંત્રાલયને દ્યણી જવાબદારીઓ સોંપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહી છે. સૌથી મોટા સમાચાર એ છે કે બેંકોના મર્જરને લઇને નાણા મંત્રાલયે એકશન તેજ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને બેંક ઓફ બરોડા બાદ પંજાબ નેશનલ બેંકના મર્જરને લઇને પગલું ભરવા જઇ રહ્યા છે. નાણા મંત્રાલયે આ મામલે બેંકોની સાથે મર્જર પર ચર્ચા પણ કરી છે. 

આગામી તબક્કામાં મર્જરમાં સૌથી મોટું મર્જર PNB માં હશે. સૂત્રોના અનુસાર પીએનબીમાં બે મોટી બેંકોનું વિલય થઇ શકે છે. તેનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. ટૂંક સમયમાં નોટને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. કેબિનેટ મંજૂરી બાદ પ્રક્રિયાને અમલમાં લાવવામાં આવશે. નાણા મંત્રાલયના અધિકારીઓના અનુસાર મર્જરનો પ્રસ્તાવ બે તબક્કામાં હશે. પહેલા તબક્કામાં પંજાબ નેશનલ બેંક સાથે અલહાબાદ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રને મર્જ કરી લેવામાં આવી શકે છે. તો બીજી તબક્કામાં કેનરા બેંક સાથે ૨ બેંકોના મર્જરનો પ્રસ્તાવ છે.

સૂત્રોનું માનીએ તો બેંકોના મર્જરનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી ચૂકયો છે. પંજાબ નેશનલ બેંકમાં બે બેંકોના મર્જર બાદ કેનરા બેંકમાં પણ બે બેંકોનું વિલય થઇ શકે છે. જોકે તેનાથી આગળના તબક્કાને લઇને હાલ નાણા મંત્રાલયમાં કોઇ ચર્ચા નથી. પરંતુ તે નક્કી છે કે આગામી દિવસોમાં પીએનબી મર્જર પર પ્રસ્તાવ જરૂર આવશે.

બેંકોને એનપીએનો સામનો કરવા અને મજબૂત અર્થવ્યવસ્થા માટે સરકારી બેંકોનું મર્જર જરૂરી છે. સરકાર ઉપરાંત દ્યણા બ્રોકરેજ ફર્મ પણ બેંકોના કંસોલિડેશન પર ભાર મુકયો છે. પહેલાં એસબીઆઇની સાથે છ બેંકોનું વિલય થયું અને પછી બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું વિલય પુરૂ થઇ ગયું છે. સરકાર ખાનગી બેંકોના વધતા જતા બિઝનેસ સાથે સાર્વજનિક બેંકોને મજબૂતી આપવા માંગે છે.

સુઝુકી ઇન્ડિયાએ લોન્ચ કરી GIXXER SF 250 અને GIXXER SF, જાણો કિંમત અને ખાસિયતો

માનવામાં આવી રહ્યું છે કે બેંકોનું મર્જર બે તબક્કામાં કરવામાં આવશે. પહેલાં તબક્કામાં તેમની સંખ્યા ૨૧થી  ઘટીને ૧૨ થઇ શકે છે. તો બીજા તબક્કામાં સરકાર બેંકોની સંખ્યા ઘટાડીને ૬ પર લાવી શકે છે. તમને જણાવી દઇએ કે સરકારનો ટાર્ગેટ સરકારી બેંકોનું પરસ્પર વિલય કરીને દેશમાં ૫-૬ મોટી બેંક બનાવવાનો છે.(૨૩.૨)

(10:26 am IST)