મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

બાંગ્લાદેશના ધર્મનિરપેક્ષ લેખક શાહજહાં બચ્ચુંની કરપીણ હત્યા

દુકાન બહાર ખેંચીને પાંચ હુમલાખોરોએ ગોળી ધરબી દીધી :દેશી બૉમ્બ પણ ફેંક્યા

 

બાંગ્લાદેશમાં ધર્મનિરપેક્ષ વિચારોને ધારદાર રીતે વ્યક્ત કરનારા અને પ્રકાશન ઘર બિશાકા  ચલાવનારા 60 વર્ષીય શાહજહાં બચ્ચૂની કરપીણ હત્યા થઇ છે બાંગ્લાદેશના મુંશીગજ જિલ્લાના તેમના પૈતૃક ગામ કાકાલડીમાં પાંચ અજાણ્યા હુમલાખોરોએ શાહજહાં બચ્ચૂને એક દુકાનમાંથી ખેંચીને બહાર કાઢીને ગોળી મારવામાં આવી હતી.

  બચ્ચૂનું પ્રકાશન ઘર મોટાભાગે કવિતાઓના પુસ્તકો પ્રકાશિત કરે છેહુમલાખોરો બે બાઈક પર આવ્યા હતા અને દુકાનની બહાર દેશી બોમ્બ પણ ફેંક્યા હતા. ધર્મનિરપેક્ષ વિચારના ટેકેદારના કારણે ઈસ્લામિક જૂથોએ ભૂતકાળમાં બચ્ચૂને ધમકીઓ આપી હતી. બચ્ચૂ પહેલા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ બાંગ્લાદેશના જિલ્લા મહાસચિવ રહી ચુક્યા છે અને તેઓ એક મુક્ત વિચાર ધરાવતા લેખક તરીકે જાણીતા હતા.

(10:19 pm IST)