લાલુ પ્રસાદના પરિવારનો મોલ સીઝ કરતી ઇડી : પટનામાં બનતો હતો બિહારનો બિગ મોલ
પટનાઃ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તથા આરજેડીના મુખિયા લાલૂ પ્રસાદ યાદવના પરિવારનો મોલ ઈડીએ સીઝ કરી દીધો છે પટનામાં તેમના પરિવારનો મોલ સીઝ કરી દીધો છે. આરોપ છે કે રેલ મંત્રી રહેતા લાલૂ યાદવે આ મોલની જમીન રેલવેને બે હોટલો લીઝ પર આપવાના અવેજમાં લીધો હતો.
પટનાના દાનાપુરમાં બની રહેલા મોલ પર પર્યાવરણ મંત્રાલય પહેલા જ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. તેજસ્વી યાદવ અને રાબડી દેવીના નામ પર આ મોલ છે. આશરે 6 વિઘા જમીન પર 750 કરોડના ખર્યો બહુમાળી મોલ બનાવવાનો હતો.
આરોપ છે કે, રેલ મંત્રી રહેલા લાલૂ યાદવે રાંચી અને પુરીમાં રેલવેને બે હોટલોમાં લીઝ પર આપવાના બદલામાં આ જમીનની નોંધણી પોતાનના પરિવારના નામે કરાવી હતી. આ મોલના નિર્માણમાં માટી કૌભાંડનો આરોપ પણ લાલૂના પરિવાર પર લાગ્યો હતો.