News of Monday, 13th May 2019
રડારથી બચવા માટે વાદળોની વચ્ચે ચા પી રહ્યો છું : પીએમ મોદીના નિવેદન પર આરજેડી નેતા તેસ્વી યાદવની સટાસટી
નવી દિલ્હી : આરજેડી નેતા તેજસ્વી યાદવએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાદળ રડારથી બચી શકે છે વાળા નિવેદન પર ટવિટ કર્યુ છે. રડારથી બચવા માટે વાદળોની વચ્ચોવચ્ચે બકસરના અસલ ગરીબ ચાવાળાની ચા પી રહ્યો છું એમણે લખ્યં વાદળોમાં રડારથી બચવાની અદ્ભૂત શોધ કરવાવાળા મહાન રાજનીતિક આવિષ્કારક ને જયભીમ, જયહિન્દ, જય ભારત.
(12:15 am IST)