મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

મ્યાંમાર નેશનલ એરલાઇન્સના વિમાનનું માંડલે આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું : પાયલોટની સુઝબુઝથી દુર્ઘટના ટળી

નેપેડા : મ્યાંમાર નેશનલ એલાઇન્સનું એક વિમાન માંડલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે પાછળના પૈડાઓના આધારે ઇમરજન્સી ઉતારવામાં આવ્યું હતું. આગળનો લેન્ડિંગ ગીયર ફસાઇ જવાનાં કારણે આગળનું પૈડુ ખુલી શક્યું નહોતું જો કે પાયલોટની સુઝબુઝના કારણે એક મોટી દુર્ઘટના થવાથી બચી ગયું. આવા વિમાનનાં આગળનો ગિયર ફેઇલ થયા બાદ દુર્ઘટના સર્જાઇ હતી. વિમાનમાં 89 લોકો બેઠેલા હતા. એમબ્રેયર 190 વિમાન હવાઇમથકનાં રનવે પર સરકી ગયું હતું. પાયલટે વિમાનનાં નોઝની મદદથી લેન્ડિંગ કરાવ્યું. જો કે પાયલોટની સુઝબુઝનાં કારણે કોઇ પણ વ્યક્તિને સામાન્ય ઇજા પણ થઇ નહોતી.

બીબીસીએ એરલાઇયન્સનાં હવાલાથી કહ્યું કે, કેપ્ટન મૈયત મો આંગે હવાઇ ઇમરજન્સી નિયંત્રકોને નિર્ધારિત કરવા માટે બે વખત હવાઇ મથકનાં રાઉન્ડ કાપ્યા, જેથી ખબર પડી શકે તે લેન્ડિંગ ગીયર નીચે થઇ રહ્યો છે કે નહી. એરલાઇન્સનાં અનુસાર વિમાન યંગુનથી રવાના થયું હતું અને માંડલોની નજીક હતું. જ્યારે પાયલોટ સામેનો લેન્ડિંગ ગિયરનાં વિસ્તાર આપવામાં અસમર્થ હતો. તેણે ઇમરજન્સી પ્રક્રિયાનું પાલન કર્યું અને વિમાનનાં વજનને ઘટાડવા માટે વધારાનું ઇંધણ ઉડાવી દીધું હતું. લેન્ડિંગનો એક વીડિયો વિમાનનાં નોઝ રનવેને સ્પર્શે તે પહેલા પાછળનાં પૈડા પર ઉતારતું જોવા મળ્યું. વિમાન અટકતા પહેલા  25 સેકન્ડ માટે લપસી ગયું હતું. મ્યાંમારમાં અઠવાડીયે પ્રકારની બીજી દુર્ઘટના છે.

 વિમાનના પાછળના પૈડા દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ કર્યું કારણ કે, આગળનું પૈડુ ખુલી નહોતું રહ્યું. મંડાલેના મુખ્યમંત્રીએ ખાસ રીતે પાયલોટ સાથે મળીને તેના સાહસિક પગલાના વખાણ કરતા તેની સાથે હાથ મિલાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકનાં સમયમાં અનેક વિમાન દુર્ઘટનાઓ સામે આવી છે.

 

(5:40 pm IST)