મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મધ્યપ્રદેશમાં : સાંજે ઇન્દોરમાં જાહેરસભા સંબોધશે ;કાલે ઉજૈનમાં કાર્યકર્તાઓની બેઠક કરશે
સાંજે ઇન્દોર લોકસભા બેઠકના પ્રત્યાશી શ્રી શંકર લાલવાણીના સમર્થનમાં જાહેરસભા
અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સોમવારે તા. ૧૩ મે ના સાંજે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડાશે.
શ્રી વિજયભાઇ રૂપાણી આજે સોમવારે સાંજે ૬ વાગ્યે ઇન્દોર પહોચશે. તેઓ ઇન્દોર લોકસભા બેઠકના પ્રત્યાશી શ્રી શંકર લાલવાણીના સમર્થનમાં જાહેરસભા સંબોધવાના છે.
મુખ્યમંત્રી તા.૧૪ મે મંગળવારે સવારે ઉજૈનમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.
લોકસભા ચૂંટણીઓના સાતમા તબક્કામાં આગામી તા. ૧૯ મે ના જે ૮ રાજ્યોની પ૯ સંસદીય બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં મધ્યપ્રદેશની બેઠકોનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શ્રી મધ્યપ્રદેશમાં ઇન્દોર, ઉજૈન બેઠકો માટે ભાજપા પ્રચાર અભિયાનમાં જોડાવાના છે. તેઓ મંગળવારે બપોરે ગુજરાત પરત આવશે.