મુખ્ય સમાચાર
News of Wednesday, 13th February 2019

ઇન્ડિગોની ૩૦ ફ્લાઇટો રદ

સોમવારના દિવસે ૩૨ ફ્લાઇટો રદ કરાઈ હતી

દિલ્હી, તા. ૧૨: પાયલોટોની કમીના પરિણામ સ્વરુપે ઇન્ડિગોની ૩૦ ફ્લાઇટો આજે રદ કરવામાં આવી હતી. યાત્રીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારના દિવસે ૩૨ ફ્લાઇટો રદ કરાઈ હતી. ફ્લાઇટો રદ થતાં યાત્રીઓને વધારે પૈસા ચુકવવા પડ્યા હતા.

(8:37 am IST)