મુખ્ય સમાચાર
News of Sunday, 13th January 2019

યુપીમાં ભારતીય રાજનીતિને નવી દિશા મળી : ભાજપના કાર્યકરો ગઠબંધનમાં જોડાવવા આતુર : અખિલેશનો દાવો

ભાજપના નેતાઓ અને કાર્યકરો હિંમત હારી ગયા : બૂથ મેનેજેમેન્ટ ધ્વસ્ત થઈ ગયુ

લખનૌ :સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બસપા સાથે ગઠબંધન બાદ આજે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે હવે ભાજપના લોકો સપા અને બસપામાં જોડાવા માંગે છે.ભાજપનુ બૂથ મેનેજેમેન્ટ ધ્વસ્ત થઈ ગયુ છે.

   અખિલેશે ટ્વિટ કર્યુ હતુ કે હવે ભાજપના નેતાઓ અને કાર્યકરો હિંમત હારી ગયા છે.હવે ભાજપના કાર્યકરો કહી રહ્યા છે કે ...મેરા બૂથ હુઆ ચકનાચૂર..હવે તેઓ સપા અને બસપામાં જોડાવા માટે આતુર છે. અખિલેશે ગઈકાલે જ કહ્યુ હતુ કે સપા અને બસપા સાથે આવવાથી ભારતીય રાજનીતિને નવી દિશા મળશે

(6:39 pm IST)