' આપ ' દિલ્હી,પંજાબ,હરિયાણા,ગોવા,ચંદીગઢની તમામ લોકસભા બેઠક લડશે : યુપીમાં પણ ઉમેદવાર ઉતારશે
આપ પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજયસભાનાં સદસ્ય સંજય સિંહે જણાવ્યું હતું કે તેમનો પક્ષ દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા અને ચંદીગઢના તમામ લોકસભા બેઠકો પર અને ઉત્તર પ્રદેશમાં પણ કેટલીક બેઠકો પરથી ચૂંટણી લડશે.
પાર્ટી વારણસી સિવાય બાકીના પશ્ચિમંચાલ અને પૂર્વાચલની કેટલીક એવા બેઠકો પર પણ ચૂંટણી લડશે કે જ્યાં તેનું સંગઠન મજબૂત છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં આપ પાર્ટીનાં મૂદ્દા અંગે સિંહે જણાવ્યું કે દિલ્હીમાં તેમની સરકારે શિક્ષણ, આરોગ્ય, ખેડૂત, વિજળી, પાણીની પ્રાથમિકતાઓ પર કામ કરી રહી છે. જો અમે રાષ્ટ્રીય રાજનીતિમાં જઈશું તો બધા માટે શિક્ષણ, નબળા વિભાગોને મફત શિક્ષણ, બેરોજગારીને સમાપ્ત કરવા અને સ્વામીનાથન આયોગનાં અમલીકરણના મુદ્દાઓને જનતાની વચ્ચે લઈને જશું.